મહારાષ્ટ્રના પ્રેમીપંખીડાએ વાપી ટાઉનમાં ફાંસો ખાઇ જીવતર ટૂંકાવી લેતા સનસની મચી ગઇ હતી.
SAMAY NEWS007 18 એપ્રિલ 2019
મહારાષ્ટ્રના પ્રેમીપંખીડાએ વાપી ટાઉનમાં રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ જીવતર ટૂંકાવી લેતા સનસની મચી ગઇ હતી.
વાપી ટાઉનની હોટલ શ્રીનાથ ગેસ્ટહાઉસમાં રૂમ નં.101માં મહારાષ્ટ્રના અંબાલા ખાતે રહેતા 26 વર્ષીય સંદીપ સંથાદાસ સુથાર અને તેની પ્રમિકા 26 વર્ષીય પલ્લવી પ્રમોદ પાટીલ રવિવારે રોકાયા હતા. જેઓ બપોરે 12 વાગ્યાના સુમારે નીકળી દમણની સહેલગાહે ગયા હતા. બાદમાં 3.30 કલાકે પરત હોટલ ખાતે આવ્યા હતા.
આ સમયે હોટલના મેનેજરે સંદીપે એક કલાકમાં રૂમ ખાલી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પ્રેમીપંખીડાઓએ રૂમમાં ગયા બાદ એક કલાક પછી વેઇટરે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, આમ છતાં કોઇપણ પ્રત્યુત્તર નહીં મળતા મેનેજર સુરેશ યાદવે હોટલ રજિસ્ટરમાં નોંધાયેલા મોબાઇલ ફોન નંબર ઉપર સંદીપને ફોન કરતામોબાઇલ સ્વીચ ઓફ બતાવતો હતો.
આ બાબતે હોટલના માલિક રાજીવ શાહને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી રૂમનો દવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. આ સમયે પ્રેમીપંખીડાએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોઇને પોલીસ અચંબિત થઇ ગઇ હતી.
પોલીસે પ્રેમીપંખીડાની લાશનો કબજો લઇ પરિવારને જાણ કરતા બંને મૃતકના પરિવારજનો સોમવારે વાપી દોડી આવ્યા હતા. જોકે, મૃતક યુવતીના પરિવારે મહારાષ્ટ્ર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. આ પ્રેમીપંખીડાના આપઘાતના આ પગલા પાછળનું ચોક્કસ કારણ હાલ જણાઇ આવ્યું નથી.
Comments
Post a Comment