પત્ની અને ફૂલ જેવી દિકરીને ઘરમાં બંધક બનાવીને રાખ્યા હતા. ચાર દિવસ સુધી પત્ની અને બાળકી ભૂખ અને તરસથી પીડાતા રહ્યા હતા. ત્યાર બાદ ઘરની બહાર કોઈ અજાણી મહિલાએ બંનેનો અવાજ સાંભળી શંકા જતા પોલીસને જાણ કરી હતી.
SAMAY NEWS007 23 એપ્રિલ 2019
લગ્નનાં પવિત્ર બંધનમાં જોડાયેલાં પતિ-પત્નીનો સંબંધ મજબૂત ગણાય છે. આ પવિત્ર બંધન અને સંબંધમાં ધીરેધીરે દહેજ જેવા દૂષણે ઘર કર્યું અને જોતજોતામાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. જેને કારણે ભારતીય સમાજ વ્યવસ્થામાં કુટુંબ અને લગ્ન જીવન જેવી કુદરતી સંસ્થાને અમુક અંશે ખોખલી કરી નાખી છે. દિલ્હીની બીએસસી પાસ છોકરીનાં લગ્ન ઝાંસી સ્થિત યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધુ ઠીકઠાક ચાલ્યા બાદ પતિ પિયરથી ધન મંગાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દિવસો જતાં તેની માંગમાં વધારો થતાં પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો.
પત્ની અને ફૂલ જેવી દિકરીને ઘરમાં બંધક બનાવીને રાખ્યા હતા. ચાર દિવસ સુધી પત્ની અને બાળકી ભૂખ અને તરસથી પીડાતા રહ્યા હતા. ત્યાર બાદ ઘરની બહાર કોઈ અજાણી મહિલાએ બંનેનો અવાજ સાંભળી શંકા જતા પોલીસને જાણ કરી હતી.
ખબર મળતા જ પોલીસની ટીમ તાળું તોડીને ઘરમાં ઘૂસી હતી. જ્યાં બંને ડરના કારણે ખૂણામાં બેઠા હતા. પોલીસ અધિકારીએ ખાવાનું મંગાવીને ખવડાવ્યુ હતુ. મા-દિકરી ભૂખથી એટલા તડપી રહ્યા હતા કે, ખાવાનું મળતા જ બંને હાથે ખાવા મજબૂર થઈ ગયા હતા. ત્યારે હવે પોલીસે ક્રૂર પતિની શોધ આદરી છે.
Comments
Post a Comment