અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં શારિરીક સંબંધ બાંધવાનો ઇનકાર કરવા પર પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો.
SAMAY NEWS007 25 એપ્રિલ 2019
અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં શારિરીક સંબંધ બાંધવાનો ઇનકાર કરવા પર પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પત્નીએ બૂમાબૂમ કરતા પતિ લોકોના ડરથી પાંચમા માળેથી કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું. પત્નીએ પતિ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.
નારોલના આકૃતિ ટાઉનશીપના ડી બ્લોકમાં રહેતા 45 વર્ષના અલ્કાબેન અને તેના પતિ ધીરૂભાઈ ઠાકોરનો 10 દિવસ પહેલા મોબાઇલ રિચાર્જ બાબતે ઝઘડો થયો હતો જેનાથી નારાજ પત્નીએ પતિને શારિરીક સંબંધ બાંધવાની ના પાડતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની પર પથ્થર અને છરી દ્વારા હુમલો કર્યો હતો. પત્નીનું મોત થઇ ગયું છે તેવું માનીને પતિએ આસપાસના લોકોના ડરથી વચવા ધાબા પરથી કૂદકો મારી દીધો હતો.
Comments
Post a Comment