મહિલા લેસ્બિયન સંબંધ બાંધવા કહેતી હતી ,મનમાં લાગી આવતા ગળેફાંસો ખાદ્યો હતો.
SAMAY NEWS007 29 એપ્રિલ 2019
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ: બહેરામપુરામાં રહેતી 17 વર્ષીય પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના સામેના મકાનમાં રહેતી 50 વર્ષીય મહિલા છેલ્લા 1.5 વર્ષથી મિત્રતા બાંધવાનું કહેતી હતી. અને જો મિત્રતા ન બાંધે તો કોઈનું ઘર માંડી લે તેવું કહેતા સગીરાના મનમાં લાગી આવ્યું અને તેને ગળેફાંસો ખાદ્યો હતો. દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
સગીરાને મનમાં લાગી આવતા આપઘાત:બહેરામપુરામાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરની સામે 50 વર્ષીય મહિલા રહે છે. દોઢ વર્ષથી મહિલા સગીરાને તેની સાથે મિત્રતા બાંધવા માટે વાંરવાર દબાણ કરતી હતી. પરંતુ સગીરા તેની સાથે મિત્રતા કરવા તૈયાર ન હતી. ગઈકાલે સવારે મહિલા સગીરાના ઘર સામે મન ફાવે તેવું બોલવાનું ચાલુ કર્યું હતું. તેણે સગીરાને કહ્યું હતું કે તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે તેવું કહ્યું હતું. આ રીતે બોલાચાલી કરતા સગીરાને મનમાં લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Comments
Post a Comment