અમદાવદના સાણંદથી શાંતિપુરા રોડ પર રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

SAMAY NEWS007   22 એપ્રિલ 2019




ઉદય રંજન/અમદાવાદ: અમદાવદના સાણંદથી શાંતિપુરા રોડ પર રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બે રીક્ષા અને 5 બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં સ્થળ પર એક બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેનું નામ વિરાજ દેસાઈ હોવાનું સામે આવ્યું છે તો અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત સર્જાતા સ્થાનિકો એકઠા થઇ જતા કાર ચાલકને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારે ચાંગોદર પોલીસ ઘટના સ્થળ પર આવી જઈને કાર ચાલકનો કબ્જો મેળવીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે કાર ચાલક વાસણા વિસ્તારમાં રહે છે અને રોનક પટેલ નામ છે.

કાર ચાલક નશામાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહ્યું છે. ત્યારે પોલીસેએ તપાસ શરૂ કરી છે કે, કારમાં અન્ય કોઈ વ્યક્તિ હતું કે, કેમ અને આ રોનક પટેલ કાર ચાલક ક્યાંથી આવી રહ્યો હતો અને કઈ બાજુ જઈ રહ્યો હતો એ તપાસી રહી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.