ભાવનગર શહેર ના ભીડભંજન મહાદેવ ચોક પાસે રોડ પર બે આખલાઓ એ આતંક મચાવ્યો હતો.

SAMAY NEWS007  25 એપ્રિલ 2019

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે. શહેરના ભીડભંજન મહાદેવ ચોક પાસે રોડ પર બે આખલાઓ એ આતંક મચાવ્યો હતો.

 શહેરના ભીડભંજન મહાદેવ ચોક, જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજા પાસે બે આખલાઓ  વચ્ચે લડાઇ થતાં રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બંને આખલાઓને છુટા પાડવા માટે લોકોએ પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલા આખલાએ એક આધેડ વયના વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ભાવનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને લોકો અને વેપારીઓ પાસેથી ટેક્સ અને દંડ કઇ રીેતે વસુલવો તે આવડત છે પરંતુ વર્ષોથી નગરજનો રખડતા ઢોરનો ત્રાસ ભોગવી રહ્યાં છે ત્યારે આ સમસ્યા હલ કરવાનો ઉપાય નથી. ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર સહિત અનેક લોકોનો રખડતા ઢોરે ભોગ લીધા છે,છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના હલ માટે નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો  ખૂબ જ ત્રાસ ભોગવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.