મણિનગરમાં ફૂટપાથ પર લાંબા સમયથી ઊભેલાં લારી ગલ્લાં હટાવવાં માટે દુકાનમાલિકો દ્વારા મ્યુનિ. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં નહીં લેવાતાં વેપારીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી.
મણિનગરમાં ફૂટપાથ પર લાંબા સમયથી ઊભેલાં લારી ગલ્લાં હટાવવાં માટે દુકાનમાલિકો દ્વારા મ્યુનિ. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં નહીં લેવાતાં વેપારીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. હાઇકોર્ટે કેસનો નિકાલ કરતા સ્પષ્ટતા કરી હતી કે, આ મામલો તો જાહેરહિતની રિટને લગતો છે.
મણિનગરમાં ચાર રસ્તા પાસે ફૂટપાથ પર ઊભા રહેતા ફેરિયાઓને હટાવવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ 40 વખત અરજી કરી હતી તેમ છતાં કોઇ પગલાં લેવાયા ન હતાં. વારંવાર કહેવા છતાં જ્યારે તંત્ર દ્વારા પગલાં લેવામાં ન આવતા તંત્રને પગલાં લેવા ફરજ પાડવા માટે દાદ માગવામાં આવી હતી.
Comments
Post a Comment