મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં દંડાયો ,કેમ જાણો.

SAMAY NEWS007  29 એપ્રિલ 2019

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં દંડાયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં 34 રને હારનો ભાર ઝીલી રહેલા રોહિતને વધુ એક ફટકો પડ્યો છે. મેચ દરમિયાન રોહિત શર્માએ એક મોટી ભૂલ કરી દીધી હતી.

ખરેખર, રોહિત શર્મા જ્યારે આઉટ થયો ત્યારે તે પેવેલિયન જઇ રહ્યો હતો, આ સમયે તેને પોતાનું બેટ સ્ટમ્પ પર ફટકાર્યુ અને બેલ્સ નીચે પાડી દીધા હતા. કારણ કે તે એમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો.

હૈરી ગર્નીના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થયા બાદ રોહિતે આ હરકત કરી હતી. જેના કારણે આઇપીએલે કાર્યવાહી કરતાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન પર મેચ ફીનો 15 ટકા દંડ ફટકારાયો હતો. તેના પર આઇપીએલની આચાર સંહિતાના 2.2ના લેવલ 1 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.