મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં દંડાયો ,કેમ જાણો.
SAMAY NEWS007 29 એપ્રિલ 2019
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં દંડાયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં 34 રને હારનો ભાર ઝીલી રહેલા રોહિતને વધુ એક ફટકો પડ્યો છે. મેચ દરમિયાન રોહિત શર્માએ એક મોટી ભૂલ કરી દીધી હતી.
ખરેખર, રોહિત શર્મા જ્યારે આઉટ થયો ત્યારે તે પેવેલિયન જઇ રહ્યો હતો, આ સમયે તેને પોતાનું બેટ સ્ટમ્પ પર ફટકાર્યુ અને બેલ્સ નીચે પાડી દીધા હતા. કારણ કે તે એમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો.
હૈરી ગર્નીના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થયા બાદ રોહિતે આ હરકત કરી હતી. જેના કારણે આઇપીએલે કાર્યવાહી કરતાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન પર મેચ ફીનો 15 ટકા દંડ ફટકારાયો હતો. તેના પર આઇપીએલની આચાર સંહિતાના 2.2ના લેવલ 1 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો હતો.
Comments
Post a Comment