બહેન સાથે અનૈતિકસંબંધ ની આશંકામાં ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
SAMAY NEWS007 30 એપ્રિલ 2019
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ નજીક મોડી રાત્રે રોડ પરથી લોહીલુહાણ હાલતમાં મળી આવેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને તપાસમાં બહેન સાથે અનૈતિકસંબંધની આશંકામાં ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સલાબતપુરા રેશમવાડ કબ્રસ્તાન પાસે મોહમ્મદ ખલીલ ગુલામ બહાદુર શેખ(ઉ.વ.૩૯) પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ રાત્રે નાનપુરા દયાળજી બાગ નજીક તેને ૧૦થી ૧૨ જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ માથા પર લાકડાના ફટકાના ઘા મારી ભાગી ગયા હતા. દરમિયાન રાહદારીઓને લોહીલુહાણ હાલતમાં મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા કર્યા બાદ આરોપી સીધો જ સલાબતપુરા પોલીસ મથકે હાજર થયો હતો. જ્યાંથી તેને અઠવા લાઇન્સ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેને આરોપીની બહેન સાથે અનૈતિકસંબંધો હતા. આ મુદ્દે ચર્ચા કરવા ગાર્ડનમાં બોલાવી તેની હત્યા કરવામાં આવી હતી.
Comments
Post a Comment