મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી
SAMAY NEWS007 01 એપ્રિલ 2019
મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. વિગતો જોઇએ તો ઇન્દોરમાં રહેતી કાજલ નામની મહિલા પોતાના પાળેલા બિલાડાના વાળ કપાવવા માટે પાર્લરમાં ગઇ હતી. વાળ કપાવી લીધા બાદ તે ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ થોડા જ સમયમાં તેના બિલાડાનું મોત થયું હતું.
આથી તેણીએ બિલાડાનું પોસ્ર્ટ મોર્ટમ કરાવ્યું તો જાણવા મળયું કે બિલાડાના ફેફસામાં પાણી ભરાઇ જવાથી મોત થયું હતું. પીએમ બાદ મહિલાએ આ અંગે પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. કાજલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે રાજસ્થાનની રહેવાસી છે અને ઇન્દોરની આઇટી કંપનીમાં નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેણે બેગ્લુરૃમાંથી ૮૦ હજારની કિંમતનો એક વિદેશ બિલાડો ખરીદયો હતો અને તેના માટે અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કરી ચુકી છે.
એક વર્ષ પહેલા તેની ઇન્દોરમાં બદલી થઇ છે. હું એક માસ પહેલા પાર્લરમાં લઇ ગઇ હતી અને પાર્લર સંચાલક મધુ પાસે તેના વાળ કપાવ્યા હતા. કાજલે જણાવ્યું કે ત્યાંના કર્મચારીએ ખોટી રીતે બિલાડાના મોઢા પર પાણી છાંટી નવરાવતો હતો. આથી કાજલે તેને રોકવાની કોશિષ કરી તો તેને બહાર મોકલી દીધી અને બાદમાં તેના વાળ કાપ્યા હતા.જો કે પાર્લર સંચાલકનું કહેવું છે કે મહિલાના આક્ષેપ ખોટા છે. તિલકનગર પોલીસ મથકના બી.એલ.મીણાએ જણાવ્યું કે તલાવલી ચાંદા નિવાસી કાજલ રાઠૌરે પોતાના બિલાડા જોયનના મોત અંગે પશુ પાર્લર સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
Comments
Post a Comment