મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઘરમાં ઘુસી સાગરિતની મદદથી ધાકધમકી આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી નાસી ગયા હતા. 

SAMAY NEWS007  24 એપ્રિલ 2019

ગુજરાતમાં દુષ્કર્મ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જતી હોય તેમ રોજે રોજ ગુનાઓ બનતા રહે છે. બપોરના સુમારે પોતાના ઘરમાં ઝાડુ મારી રહેલી ધાનપુર તાલુકાના ગામની પરિણીત મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઘરમાં ઘુસી આવેલા ગરબાડા તાલુકાના વજેલાવ ગામના ઇસમે તેના સાગરિતની મદદથી ધાકધમકી આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી નાસી ગયા હતા. આ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી અને તે ઘરમાં ઝાડુ મારી રહી હતી. તે વખતે વજેલાવ ગામનો અમરસિંહ ચૌહાણ ઘરમાં ઘુસી ગયો હતો. અને ઝાડુ મારી રહેલી મહિલાને પકડી ધાકધમકી આપી હતી.

ત્યારબાદ સાગરીત સાથે મળીને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જોકે, પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથધરીને નરાધમોને ઝડપી પાડ્યા હતા.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.