મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઘરમાં ઘુસી સાગરિતની મદદથી ધાકધમકી આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી નાસી ગયા હતા.
SAMAY NEWS007 24 એપ્રિલ 2019
ગુજરાતમાં દુષ્કર્મ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જતી હોય તેમ રોજે રોજ ગુનાઓ બનતા રહે છે. બપોરના સુમારે પોતાના ઘરમાં ઝાડુ મારી રહેલી ધાનપુર તાલુકાના ગામની પરિણીત મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઘરમાં ઘુસી આવેલા ગરબાડા તાલુકાના વજેલાવ ગામના ઇસમે તેના સાગરિતની મદદથી ધાકધમકી આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી નાસી ગયા હતા. આ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી અને તે ઘરમાં ઝાડુ મારી રહી હતી. તે વખતે વજેલાવ ગામનો અમરસિંહ ચૌહાણ ઘરમાં ઘુસી ગયો હતો. અને ઝાડુ મારી રહેલી મહિલાને પકડી ધાકધમકી આપી હતી.
Comments
Post a Comment