શ્રી રેડ્ડીએ કહ્યું કે, મે કપડા ઉતાર્યા બાદ જબરદસ્ત પ્રતિક્રિયા મળી જેના કારણે કાસ્ટિંગ કાઉચના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો અને તપાસ શરૂ થઇ.
SAMAY NEWS007 20 એપ્રિલ 2019
તેલુગુ એક્ટ્રેસ શ્રી રેડ્ડી ફરી એકવાર ચર્ચામાં છે. ગત વર્ષે તેણે ટોલીવુડના અનેક જાણીતી હસ્તિઓ પર કાસ્ટિંગ કાઉચ જેવા ગંભીર આરોપ લગાવતા તેલુગુ ફિલ્મ ચેમ્બર ઑફ કોમર્સ સામે ટૉપલેસ થઇને પ્રદર્શન કર્યુ હતુ. હવે શ્રી રેડ્ડીએ પોતાના આ ખરાબ સમય વિશે જણાવ્યું હતું.
શ્રી રેડ્ડીએ કહ્યું કે, મે કપડા ઉતાર્યા બાદ જબરદસ્ત પ્રતિક્રિયા મળી જેના કારણે કાસ્ટિંગ કાઉચના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો અને તપાસ શરૂ થઇ. તેણે કહ્યું કે ટૉપલેસ થઇને પ્રદર્શન કરવાના કારણે જ ટોલીવુડ ઇન્ડસ્ટ્રી અને મુખ્યમંત્રી શ્રી ચંદ્રશેખર રાવ તેમના દુખને સમજ્યા.
જણાવી દઇએ કે તાજેતરમાં જ શ્રી રેડ્ડીએ એક પોસ્ટ કરી હતી જે વાયરલ થઇ રહી છે જેમાં તેણે ફરી એકવાર પવન કલ્યાણ પર પ્રહાર કરતાં કહ્યું કે પવન કલ્યાણને અલી જેવા મહાન વ્યક્તિની આલોચના કરવાનો અધિકાર નથી.
જણાવી દઇએ કે પાછલા ઘણા સમયથી શ્રી રેડ્ડી અને પવન કલ્યાણ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. શ્રી રેડ્ડીએ કાસ્ટિંગ કાઉચને લઇને જે સમયે આરોપ લગાવ્યા હતાં તે સમયે પવને મીડિયાને કહ્યું હતું કે રસ્તા પર પ્રદર્શન કરવા કરતાં વધુ યોગ્ય એ છે કે તેણે પોલીસ પાસે જવું જોઇએ.
Comments
Post a Comment