અમદાવાદ: લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું વસ્ત્રાપુર તળાવ હાલ મેદાન બની ગયું છે.
SAMAY NEWS007 04 એપ્રિલ 2019
અમદાવાદ: લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું વસ્ત્રાપુર તળાવ હાલ મેદાન બની ગયું છે. તળાવમાં ટ્રિટમેન્ટ કરેલું પાણી ઠાલવવા મે-2018માં કોર્પોરેશને 90 લાખના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો હતો. વસ્ત્રાપુર તળાવ પહેલું એવું તળાવ છે જ્યાં આવો પ્લાન્ટ નખાયો હોય. તેનો હેતુ ટ્રિટ કરેલું પાણી તળાવમાં ઠાલવવાનો છે.
પરંતુ મોટાભાગનું પાણી ગાર્ડનિંગ તેમજ અન્ય હેતુ માટે વપરાય છે. ઉનાળામાં પાણીનું બાષ્પીભવન થવા ઉપરાંત તળાવની ડિઝાઈનને કારણે મોટાભાગનું પાણી જમીનમાં ઉતરી જાય છે. તળાવનું તળિયું નવેસરથી ખોદાયું છે તેમજ તેના પર એક ફૂટથી વધુ ઊંડાઈનું માટીનું થર છે. માટે પાણી વહેતું નથી. તળાવની ઊંડાઈ 9 મીટર છે અને તેની ક્ષમતા 12 કરોડ લિટર પાણીની છે, પરંતુ ચોમાસા સિવાય તળાવ હંમેશાં સૂકુ રહે છે.
Comments
Post a Comment