સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના શૌચાલયમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.


SAMAY NEWS007  03 એપ્રિલ 2019
 



વડોદરા  શહેરના સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના શૌચાલયમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર  મચી ગયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ બાળકીના મૃતદેહને શૌચાલયમાંથી બહાર કઢાયો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ થતાં જ રાવપુરા પોલીસને જાણ કરી હતી. જેને આધારે પોલીસ સયાજી હોસ્પિટલ પહોંચી હતી અને બાળકીને જન્મ આપનારી માતા અને પિતાની શોધખોળ શરુ કરી છે. પોલીસે છેલ્લા એકાદ સપ્તાહમાં પ્રસુતિ માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલી ગર્ભવતિ મહિલાઓનું લિસ્ટ પોલીસે માંગ્યુ છે.
સયાજી હોસ્પિટલના સ્ટાફનું માનવુ છે કે, બાળકીના ઉછેર માટેની નાણાકીય વ્યવસ્થા નહીં હોવાને લીધે પરિવારે માસુમ બાળકીને શૌચાલયમાં ત્યજી દીધી હતી પરંતુ, હકીકત શુ છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.